Tuesday 15 March 2016

સયાજીરાવ ગાયકવાડ..

ગાયકવાડ ક્યારેય પોતાના અધિકારીઓને એવું વર્તન કરવા દેતા નહી જેનાથી બીજા ઓને અન્યાય થાય કે હેરાનગતિ વેઠવી પડે

મહારાજા એક વાર કાશ્મીરના પ્રવાસે ગયા હતા. વાંચવામાં આવ્યું છે તેમ તેમને સવાર સાંજ ફરવા જવાનો નિયમ હતો. તેઓ ગમે ત્યાં હોય પણ આ નિયમનો ભંગ થવા ન દેતા. કાશ્મીરમાં પણ તેમણે આ નિયમ જાળવી રાખેલો.

એક દિવસ સવાર સવારે તેઓ ફરવા નીકળ્યા. સાથે એ.ડી.સી. પણ હતા જ. સડકને છેડે ચાલતાં ચાલતાં એમણે જોયું કે મકાઈના ખેતરમાં ભરપૂર ડૂંડાં ઉગ્યાં છે. એમને થયું કે આજે ડૂંડા ખાવાની મજા કેમ ન માણવી? બસ પછી તો શું? એ.ડી.સી.ની. સાથે ખેતરમાં ઘુસી ગયાં. દૂર ક્યાંક સંતાઈને ખેડૂત બેઠો હતો. જેવું એણે જોયું કે બે રાહદારીઓ ખેતરમાં ધૂસી ગયા છે. અને ડૂંડા તોડવા લાગ્યા છે. કે તરત જ દોડતા એમની પાસે પહોંચી ગયો અને લાગ્યો ખરી ખોટી સૂણાવવા .જ્યારે જોયું કે પેલો ખેડૂત પોતાની વચન વર્ષા બંધ કરતો જ નથી ત્યારે મહારાજાએ એને વચ્ચે અટકાવીને કહ્યું કે ભાઈ મારા અમે તો ગાયકવાડ સરકારના અધિકારીઓમાંથી છીએ અહીંથી પસાર થતાં હતાં પાકેલાં ડૂંડા જોઈને ખાવાનો વિચાર આવ્યો તો ખેતરમાં આવીને એ બે - ચાર ડુંડા તોડયાં જ છે કે તમે... પણ જેવું ખેડૂતે ગાયકવાડ સરકારના અધિકારીઓ માંથી છીએ સાંભળ્યું કે તરત જ એ તો વધારે ગુસ્સે થઈ ગયો કહે તમે તદ્દન જુઠ્ઠા છો.


કેમ ભાઈ જુઠ્ઠા કેમ? મહારાજાએ સહજ જ પૂછી લીધું એટલા માટે કે ગાયકવાડ સરકારની નામના એવી સાંભળી છે કે તેઓ ક્યારેય પણ પોતાના અધિકારીઓને એવું વર્તન કરવા દેતા નથી જેનાથી બીજા ઓને અન્યાય થાય કે કોઈને હેરાનગતિ વેઠવી પડે .લાગે છે કે તમે તો કોઈ ભળતા જ લોકો છો. સાંભળીને બન્ને ચકિત રહી ગયા છેવટે આ બનાવટી અધિકારી ઓએ ખેડૂતને નુકસાની પેટે થોડીક રકમ આપીને એવી દશામાંથી છુટકારો મેળવવામાં જ પોતાનું ભલું જોયું .પણ જો તમે ગરીબ જ મૃત્યુ પામો એ તમારી ભૂલ છે

No comments: