એક શિકારી પાસે તદ્દન અલગ પ્રકાર નો કુતરો હતો. એ કુતરા ની ખાસીયત એ હતી કે તે
પાણી પર ચાલી શકતો હતો. આ શિકારી ને થયું કે તેના મિત્રો ને આ કુતરો બતાવી
પોતની બડાઈ મારવી જોઈએ. તેથી તેને પોતના એક મિત્ર ને બતક નો શિકાર કરવા
બોલાવ્યો. થોડા સમય સુધી શિકાર કર્યા પછી શિકારી એ તેના કુતરા ને
બધા બતક પાણી માં થી લઈ આવાવા કહ્યું. આ રીતે આખો દિવસ
શિકારી અને તેનો મિત્ર બતક નો શિકાર કરતા રહ્યાં. અને દરેક વખતે શિકારી નો કુતરો પાણી પર ચાલી ને શિકાર કરેલા
બતક લઈ આવતો. કુતરા ના માલિક ને આશા હતી કે તેનો મિત્ર આ જોઈ ને તેના ખુબ
વખાણ કરશે.પરંતુ તેવું કાંઈ થયુ નહિ.આથી જ્યારે તેઓ શિકાર કરી ને
પાછા આવતા હતા ત્યારે તે શિકારી એ તેના મિત્ર ને પુછ્યું – તેં આ કુતરા માં કંઈક વિશેશ જોયું? ત્યારે શિકારી ના મિત્ર એ જવાબ આપ્યો,હા જરુર તેણે કુતરા ની એક ખાસિયત જોયી કે તમારો કુતરો પાણી માં તરી શકતો નથી
સારાંશ – ઘણા લોકો હંમેશા નકારાત્મક રીતે વિચારતા હોય
છે.તેથી તેઓ નિરશાવાદી કહેવાય છે.
No comments:
Post a Comment