ભગવાન રામના જીવનનો એક સુંદર પ્રસંગ છે.
ભગવાન રામચંદ્રજીના
જીવનમાં આવતા દુ:ખોથી હનુમાનજી ખુબ વ્યથિત રહેતા. હનુમાનજી ભગવાન રામના પરમ ઉપાસક હોવાથી પોતાના પ્રભુના
જીવનમાં આવતી આફતો એનાથી જોઇ શકાતી ન હતી. એમણે એકદિવસ નક્કિ કર્યુ કે મારે
વિધાતાને મળીને ફરિયાદ કરવી છે કે મારા પ્રભુના નસિબમાં તે આવા દુ:ખો શા માટે
લખ્યા છે ?
એકવખત હનુમાનજી
વિધાતા પાસે ગયા. ખુબ ગુસ્સામાં વિધાતાને ઘણું સંભળાવ્યુ. ન બોલવાનું બોલ્યા. પરંતું વિધાતાએ હનુમાનજીની બધી જ વાતો
શાંતિથી સાંભળી. હનુમાનજી વારંવાર એક જ ફરિયાદ કરી રહ્યા હતા " મારા
પ્રભુના ભાગ્ય તમે આવા કેમ લખ્યા ? "
વિધાતાએ
હનુમાનજીને કહ્યુ ,
" હવે
તમે મારી વાત શાંતિથી સાંભળો. ભગવાન રામના ભાગ્ય
મેં મારી રીતે નથી
લખ્યા એમણે મારી પાસે લખાવ્યા એ રીતે જ મેં લખ્યા છે.
હવે બોલો આમા મારો
શું વાંક ? "
મિત્રો . પ્રસંગ બહુ
સામાન્ય છે પણ મર્મ ખુબ ઉંડો છે. આપણા નસિબ વિધાતાએ નહી આપણે પોતે જ
લખવાના હોય છે પણ વાંક હંમેશા વિધાતાનો જ કાઢિએ છીએ. તો ચાલો તૈયાર થઇ જાવ
વિધાતા પાસે તમારા ભાગ્ય લખાવા માટે........
ઇકબાલનો આ શેર યાદ
રાખજો દોસ્તો
ખુદી કો કર બુલંદ
ઇતના કી હર તકદિર સે પહલે
ખુદા બંદે સે ખુદ
પુછે બોલ તેરી રઝા ક્યા હૈ ?
No comments:
Post a Comment