એક શિલ્પકાર હતો. મૂર્તિઓ બનાવવામાં ખુબ નિષ્ણાંત. એવી મૂર્તિઓ
બનાવતો કે જોનારા
બસ જોયા જ કરે. કોઇ વ્યક્તિને જ્યારે આ મૂર્તિકાર પાસે ઉભો રાખી દો તો આબેહુબ એના જેવી જ મૂર્તિ બનાવે. કોઇ ઓળખી પણ ના શકે કે આ
બંનેમાંથી પુતળું
કયુ છે? અને
સાચો માણસ ક્યો છે?
એક નિષ્ણાંત
જ્યોતિષીએ આ મૂર્તિકારને કહ્યુ કે ભાઇ આજથી બરાબર 7 માં દિવસે તારુ મૃત્યું છે. હું મારી જ્યોતિષ વિદ્યામાં ક્યારેય ખોટો પડ્યો નથી એટલે તારી
પાસે હવે જીવવા માટેના 7 દિવસ બાકી રહ્યા છે. શિલ્પકાર વિચારવા લાગ્યો કે હવે મારે શું કરવું આ 7 દિવસમાં ? એને અચાનક કંઇક સાવ જુદો જ વિચાર આવ્યો. ચાલોને એક કામ કરું આબેહુબ મારા જેવી જ 6 મૂર્તિઓ બનાવું અને આ બધી જ મૂર્તિઓની સાથે 7મો હું સુઇ જઇશ. જ્યારે યમદુતો મારો પ્રાણ લેવા આવશે તો મને ઓળખી
જ નહી શકે અને
મારો પ્રાણ લીધા વગર પાછા જતા રહેશે.
6 દિવસમાં
આ મૂર્તિકારે બિલકુલ પોતાની ઝેરોક્ષ કોપી જેવી જ મૂર્તિઓ બનાવી. એના મૃત્યુંના દિવસે એ આ 6 મૂર્તિઓની સાથે સુઇ ગયો. સમય થયો એટલે
યમદુતો એનો પ્રાણ
લેવા માટે આવ્યા. જેવા મૂર્તિકારના ઘરમાં પહોંચ્યા કે બધા
દુતોની આંખો પહોળી
થઇ ગઇ કારણ કે 7 વ્યક્તિઓ
એક જ સરખી હતી હવે આમાંથી કોના પ્રાણ લેવા.
યમદુતોએ અંદરો અંદર
વાત શરુ કરી. એક દુતે બીજાને કહ્યુ , " આ શિલ્પકાર મૂર્તિઓ બનાવવામાં કેવો નિષ્ણાંત છે. બધી જ
મૂર્તિઓ એક સરખી બનાવી છે જરા પણ ભુલ. મને લાગે છે કે આ મૂર્તિકાર
દુનિયાનો સૌથી સારો શિલ્પકાર છે. " બીજા દુતે પહેલા દુતને અટકાવતા
કહ્યુ , " ના
ભાઇ ના , આ
શિલ્પકાર કરતા તો આ
ધરતી પર બીજા ઘણા સારા મૂર્તિકારો છે આ મૂર્તિકાર તો
એની પાસે નાનુ
બચોલિયું કહેવાય"
વાત સાંભળી રહેલો
મૂર્તિકાર તુરંત જ ઉભો થયો અને બોલ્યો ,
" મારા
કરતા વધુ સારો મૂર્તિકાર કોણ છે આ જગતમાં
મારે એ જાણવું
છે." બંને દુતો એકબીજા સામે જોઇને હસી પડ્યા અને મૂર્તિકારનો
પ્રાણ લઇને જતા
રહ્યા.
મિત્રો, માણસ ત્યાં સુધી જ જીવી શકે છે જ્યાં સુધી એનો અહંકાર મરેલો
હોય જે દિવસે અહંકાર જીવતો થાય ત્યારે માણસ મરી જાય છે.
No comments:
Post a Comment