Thursday 30 June 2016

ચલો આપણે હીરો બનવાનો સંકલ્પ અને અમલ કરીએ.......



એકવખત ખોદકામ કરતી વખતે એક વિશિષ્ટ પ્રકારનો પથ્થર મળ્યો. એ પથ્થર છે કે હીરો તે નક્કિ કરવાનું ખુબ જ મુશ્કેલ હતું. આ માટે સમગ્ર દુનિયામાંથી આ બાબતના નિષ્ણાંતોને બોલાવ્યા એક પછી એક નિષ્ણાંત વ્યક્તિએ આવીને એ પથ્થરને તપાસ્યો પણ કોઇ નક્કિ ના કરી શક્યું કે આ પથ્થર છે કે હીરો છે.

છેવટે એક અંધ વ્યક્તિ આવી અને એણે પેલા પથ્થરને હાથમાં ઉપાડ્યો. બધા નિષ્ણાંતો હસવા લાગ્યા કે આ આંધળો કેવી રીતે નક્કિ કરી શકશે. પેલી અંધ વ્યક્તિ ખુલ્લા મેદાનમાં ઘોમઘખતા તાપમાં રાખેલા પથથર પાસે ગયો. પથ્થર હાથમા લઇને ફેરવ્યો અને તુરંત જ કહ્યુ કે આ પથ્થર નથી પણ હીરો છે.

બધાએ એક સાથે જ આશ્વર્ય સાથે પુછ્યુ કે, " તમે તો આંખોથી જોઇ પણ નથી શકતા તો પછી તમે કેવી રીતે નક્કિ કર્યુ કે આ હીરો જ છે ! " ત્યારે એણે કહ્યું કે અત્યારે ઉનાળાની ભર બપોર છે અને સાવ ખુલ્લામાં આ પદાર્થ રાખેલો છે. આટલો બધો તાપ એના પર પડવા છતા એ ગરમ નથી જે બતાવે છે કે એ પથ્થર નથી જે બતાવે છે કે તે હીરો છે કારણ કે હીરો ગરમીથી ગરમ ન થાય અને ઠંડીથી ઠંડો ન થાય. બહારના વાતાવરણની કોઇ અસર તેના પર ન થાય.

દોસ્તો જીવનમાં પણ સમસ્યા, સંઘર્ષો અને પ્રશ્નોનો સૂર્યનારાયણ બરોબરનો તપતો હોય અને આમ છતા જે શકે અને આ સમસ્યાઓના તાપની જેના પર અસર ના થાય એ જ સાચો હીરો છે અને તપી જાય એ બધા પથ્થરો.......ચલો આપણે હીરો બનવાનો સંકલ્પ અને અમલ કરીએ.......

No comments: