એકવખત ખોદકામ કરતી વખતે એક વિશિષ્ટ પ્રકારનો પથ્થર મળ્યો. એ પથ્થર
છે કે હીરો તે નક્કિ કરવાનું ખુબ જ મુશ્કેલ હતું. આ માટે સમગ્ર દુનિયામાંથી
આ બાબતના નિષ્ણાંતોને
બોલાવ્યા એક પછી એક નિષ્ણાંત વ્યક્તિએ આવીને એ પથ્થરને તપાસ્યો પણ કોઇ નક્કિ ના કરી શક્યું કે આ પથ્થર છે કે હીરો છે.
છેવટે એક અંધ વ્યક્તિ આવી અને એણે પેલા પથ્થરને હાથમાં ઉપાડ્યો. બધા
નિષ્ણાંતો હસવા લાગ્યા કે આ આંધળો કેવી રીતે નક્કિ કરી શકશે. પેલી અંધ
વ્યક્તિ ખુલ્લા મેદાનમાં ઘોમઘખતા તાપમાં રાખેલા પથથર પાસે ગયો. પથ્થર હાથમા
લઇને ફેરવ્યો અને તુરંત જ કહ્યુ કે આ પથ્થર નથી પણ હીરો છે.
બધાએ એક સાથે જ આશ્વર્ય સાથે પુછ્યુ કે, " તમે તો આંખોથી જોઇ પણ નથી શકતા તો પછી તમે કેવી રીતે નક્કિ કર્યુ કે આ હીરો જ છે ! " ત્યારે એણે કહ્યું
કે અત્યારે ઉનાળાની ભર બપોર છે અને સાવ ખુલ્લામાં આ પદાર્થ રાખેલો છે. આટલો બધો
તાપ એના પર પડવા
છતા એ ગરમ નથી જે બતાવે છે કે એ પથ્થર નથી જે બતાવે છે કે તે હીરો છે કારણ કે હીરો ગરમીથી ગરમ ન થાય અને ઠંડીથી ઠંડો ન થાય. બહારના
વાતાવરણની કોઇ
અસર તેના પર ન થાય.
દોસ્તો જીવનમાં પણ
સમસ્યા, સંઘર્ષો
અને પ્રશ્નોનો
સૂર્યનારાયણ બરોબરનો તપતો હોય અને આમ છતા જે શકે અને આ સમસ્યાઓના તાપની જેના પર અસર ના થાય એ જ સાચો હીરો છે અને તપી જાય એ બધા પથ્થરો.......ચલો આપણે હીરો બનવાનો સંકલ્પ અને અમલ
કરીએ.......
No comments:
Post a Comment