એક સન્યાસી ફરતા ફરતા એક નગરમાં આવ્યા. એક માણસ આ સન્યાસીને મળવા
માટે આવ્યો. એ ખુબ ગુસ્સામાં હતો. સન્યાસીને જેમફાવે તેમ બોલવા લાગ્યો.
ગાળો પણ ભાંડી પણ સન્યાસી કંઇ જ બોલ્યા વગર શાંતિથી આ માણસને સાંભળી રહ્યા
હતા.
પેલો માણસ બરાડા
પાડીને બોલતો રહ્યો અને સન્યાસી મંદ મંદ સ્મિત કરતા-કરતા સાંભળતા રહ્યા. હવે પેલો બોલી બોલીને કંટાળ્યો એટલે એ જતો
રહ્યો. સન્યાસીની સાથે તેના સેવકો હતા તે બધા ગુસ્સાથી લાલચોળ થઇ ગયા હતા. એમણે
સન્યાસીને પુછ્યુ
, “ એ
માણસ આપને ખુબ ખરાબ શબ્દો કહી રહ્યો હતો તમે કોઇ જવાબ આપવાને બદલે માત્ર સાંભળતા જ કેમ હતા ?”
સન્યાસીએ સેવકને
કહ્યુ , “ બેટા આપણે કોઇના માટે કોઇ ભેટ લઇને જઇએ. સામે વાળી વ્યક્તિને એ ભેટ
આપીએ પણ સામે
વાળી વ્યક્તિ એ ભેટ સ્વિકારે જ નહી તો પછી જે ભેટ આપણે એમના માટે લઇ ગયા હોય એ કોની પાસે પડી રહે ?” સેવકે કહ્યુ , “ ગુરુદેવ જો સામે વાળો ભેટ ન સ્વિકારે તો પછી જે માણસ ભેટ લઇને આવ્યો હોય એની પાસે જ ભેટ પડી રહે.”
સન્યાસીએ કહ્યુ , “ બેટા, બીલકુલ સાચો જવાબ છે. સામેવાળો માણસ તમને ગાળો
આપે પણ એ ગાળોને તમે
સ્વિકારો જ નહી તો એ ગાળો તમારી પાસે આવતી જ નથી એ
સામે વાળા માણસ પાસે
એમની એમ જ પડી રહે છે.”
કોઇપણ વ્યક્તિ મારા
વિષે જે કંઇ ઘસાતુ
કે ખરાબ બોલે એ જો સાચુ હોય તો મારે એનો સ્વિકાર કરીને
મારી જાતને સુધારવી
જોઇએ અને જો એ ખોટુ હોય તો એ મારા માટે બોલાતું જ નથી
તો એનો જવાબ જ શા
માટે આપવો ?
No comments:
Post a Comment