એક દિવસ સાંજના સમયે મશાલના અજવાળામાં રાબિયાજી કંઇક શોધતા હતા. ત્યાથી
થોડા યુવાનો પસાર થયા એમણે જોયું કે રાબિયાજી કંઇક શોધી રહ્યા છે આથી મદદ કરવાની
ભાવનાથી યુવાનો એ રાબિયાજીને પુછ્યુ , " આપ શું શોધો છો ? આપનું
કંઇ ખોવાયું છે ? શું અમે આપને મદદ કરીએ ?
" રાબિયાજી એ કહ્યુ , " બેટા મારી કપડા સાંધવાની સોઇ ખોવાઇ છે એ શોધુ છુ ...આપ મને મદદ કરશો તો
હું આપ બધાની આભારી રહીશ. " બધા યુવાનો સોઇ શોધવા લાગ્યા.
થોડા સમય સુધી પ્રયત્ન કરવા છતા સોય ન મળી
ત્યારે યુવાનો એ રાબિયાજીને પુછ્યુ કે, " આપની સોઇ ખોવાઇ છે ક્યા એ તો કહો ?" ત્યારે રાબિયાજી એ ગામથી દુર રહેલી પોતાની ઝુંપડી તરફ હાથ ચિંધીને કહ્યુ
કે, "સોઇ તો મારી ઝુંપડીમાં ખોવાઇ છે . પરંતું ઝુપડામાં અંધારુ છે અને અહિ સરસ
અજવાળું છે માટે અહિયા શોધું છું."
યુવાનો પેટ પકડીને હસવા લાગ્યા. યુવાનોને
હસતા જોઇને રાબિયાજીએ એનું કારણ પુછ્યુ ત્યારે યુવાનોએ હસતા હસતા જ કહ્યુ કે તમે
પણ કેવી મુર્ખા જેવી વાત કરો છો. સોઇ જ્યાં ખોવાઇ હોય ત્યાં જ મળે પછી ભલે ત્યા
અંધારું હોય જ્યાં ખોવાય જ નથી ત્યા આ મશાલ નહી, સુર્યપ્રકાશ હોય તો પણ ન મળે.
આ સાંભળતા જ રાબિયાજી એ કહ્યુ કે હું એકલી ક્યા મુર્ખી છું આખી દુનિયા પણ મુર્ખી જ
છે ને ? બધાનું સુખ અને શાંતિ ખોવાયા છે કોઇ જુદી જગ્યાએ અને શોધે છે કોઇ જુદી
જગ્યાએ !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
આપણું સાચુ સુખ , શાંતિ
કે આનંદ માત્ર અને માત્ર પરિવાર અને મિત્રો સાથેના મજબુત સંબંધોમાં ખોવાયુ છે અને
આપણે એને શોધીએ છીએ પદ , પૈસા અને પ્રતિષ્ઠાના ઝગમગાટમાં.
No comments:
Post a Comment