એક નગરમાં એક અત્યંત ભલો માણસ રહેતો હતો. એ દરજીકામ કરતો હતો અને
સ્વભાવનો ખુબ
જ સારો હતો. અમુક સમય પછી એમણે દરજીનો વ્યવસાય છોડીને સન્યાસીનું જીવન વ્યતિત કરવાનું શરુ કર્યુ અને સન્યાસી તરિકે બધા એમને ખુબ માન
સન્માન આપતા હતા.
સમગ્ર રાજ્યમાં આ
સન્યાસીના ખુબ વખાણ થતા હતા. બધા એમને ખુબ આદર આપતા હતા. એક દિવસ રાજ્યનો સમ્રાટ આ સન્યાસીને મળવા માટે
આવ્યો. એમને ખબર હતી કે સન્યાસી પહેલા દરજીકામ કરતા હતા એટલે સમ્રાટ મળવા
માટે આવ્યા ત્યારે
સન્યાસી માટે એક હિરા જડીત સોનાની કાતર લાવ્યા હતા. એમણે સન્યાસીને વંદન કરીને રાજ્ય તરફથી આ વિશિષ્ટ કાતર સન્યાસીને ભેટ ધરી.
સન્યાસીએ વિનમ્રતા
પૂર્વક કાતર સ્વિકારવાની ના પાડી. સમ્રાટ ખુબ દુ:ખી થયા કે મારા રાજ્યના આ સન્યાસીને હું કંઇ આપી શકતો નથી સમ્રાટ
હોવા છ્તા આ સન્યાસીને કંઇ મદદ કરી શકતો નથી. એમણે સન્યાસીને પુછ્યુ , " હું આપને કંઇક આપવા માંગું છું આપ જ મને જણાવો કે હું આપને શું આપુ જે આપના ઉપયોગમાં આવે ?
"
સન્યાસીએ સમ્રાટની
સામે જોઇને એટલું જ કહ્યુ કે મહારાજ આપ કંઇ આપવા માંગતા
હોય તો માત્ર એક
નાની એવી સોઇ આપો. રાજાએ તુરંત સોઇ મંગાવીને સન્યાસીને
આપી અને પછી કહ્યુ
કે આપે સોઇ કેમ માંગી અને કાતરનો કેમ અસ્વિકાર કર્યો.
સન્યાસીએ કહ્યુ કે
કાતર કાપવાનું અને ભાગ પાડવાનું કામ કરે છે જ્યારે સોઇ
સાંધવાનું અને ભેગા
કરવાનું કામ કરે છે.
માઇન્ડ એ કાતરનું
કામ કરે છે અને હદય એ સોઇનું કામ કરે છે. માઇન્ડનો ઉપયોગ કરવો જરૂરી છે પણ તે કરતા
હદયનો ઉપયોગ વધુ કરવો.......
No comments:
Post a Comment