એક ખુબ મોટા શહેરમાં એક હાથી લાવવામાં આવ્યો હતો. માત્ર
ચિત્રોમાં અને ફિલ્મોમાં જ હાથી જોવા ટેવાયેલા મહાનગરના માણસો આ હાથીને
પ્રત્યક્ષ જોવા માટે પણ આવતા હતા. હાથી જોવા માટે આવી રહેલા લોકો પૈકી એક
વ્યક્તિનું ધ્યાન ગયુ કે હાથીને પગથી બાંધવામાં આવ્યો હતો અને એ પણ સાવ નાના
અને પાતળા દોરડા
દ્વારા.
આ જોઇને પેલા ભાઇ તો
આશ્વર્યમાં પડી ગયા કે આ હાથીને સાવ સામાન્ય દોરડા દ્વારા બાંધવામાં આવ્યો છે. આવા
વિશાળકાય અને મહાબળવાન પ્રાણીને આવા સાવ સામાન્ય દોરડાથી કેમ બાંધવામાં
આવ્યુ છે. જો હાથી ઇચ્છે તો માત્ર એક જ ઝાટકામાં આ બંધન તોડી શકે અને આઝાદ
થઇ શકે.
હાથીના મહાવતને એ
ભાઇએ આ બધુ પુછ્યુ , “ તમે, હાથીને સાવ પાતળા દોરડાથી બાંધેલો છે તો એ દોરડું તોડીને ભાગી ના જાય ? એના માટે આ દોરડું તોડવું બહું જ સામાન્ય છે!”
મહાવતે
કહ્યુ , “ આપનો પ્રશ્ન બિલકુલ વાજબી છે પણ આવું ક્યારેય ના થાય. કારણ કે
હાથી જ્યારે નાનો
હોય એટલે કે એ મદનિયુ હોય ત્યારે એના પગ આ જ દોરડાથી
બાંધેલા હોય એ વખતે
એ દોરડાને તોડવાના ખુબ પ્રયાસ કરે પરંતું તેની ઉંમરને
કારણે એ દોરડું
તોડવામાં સફળ ન થાય. પછી તો એ મનમાં એવી ગાંઠ વાળી લે કે
મારાથી આ દોરડું
તુટવાનું જ નથી અને એ દોરડાને તોડવાના પ્રયાસ છોડી દે છે.
હાથીમાં દોરડું
તોડવાની પુરેપુરી ક્ષમતા હોવા છતા ભુતકાળની નિષ્ફળતાના
કારણે એ પ્રયાસ જ
કરતો નથી.”
મિત્રો, આપણા બધાનું પણ આ હાથી
જેવું જ છે.
નાનીનાની નિષ્ફળતાને કારણે એવા તારણ પર આવી જઇએ છીએ કે હવે હું
આ બાબતમાં સફળ નહિ
થઇ શકું જ્યારે વાસ્તવિકતા એ હોય છે કે આપણામાં સફળ
થવાની પુરેપુરી
ક્ષમતા હોવા છતા ભુતકાળની નિષ્ફળતાને કારણે પ્રયાસો જ છોડી
દઇએ છીએ.
No comments:
Post a Comment