ઇશ્વર પ્રાપ્તિની ઝંખના કરતો એક યુવક એકવાર રામાનુજને મળ્યો. રામાનુજને
મળીને કહ્યુ
કે , " મને
આ સંસારમાં કોઇ મોહ નથી. મારે તો બસ ભગવાન સાથે નાતો જોડવો છે. મારે આપનું માર્ગદર્શન જોઇએ છે કે મને પ્રભુનો પ્રેમ
કઇ રીતે મળે ?" .
રામાનુજએ આ યુવકને પુછ્યુ
કે તે ક્યારેય કોઇને પ્રેમ કર્યો છે ખરો ? પેલો યુવક કહે હું કંઇ મુરખ છુ તે આ સંસારની માયામાં ફસાવ ? ક્યારેય કોઇને પ્રેમ નથી કર્યો .
રામાનુજે બીજી વાર પુછ્યુ
કે ભલે તે
પ્રેમ ના કર્યો હોય પણ ક્યારેય પ્રેમનો વિચાર આવ્યો હોઇ એવું ખરું ? પેલા એ કહ્યુ અરે મહારાજ તમે શું વાત કરો છો ? આવો હિન વિચાર આવે કેવી રીતે ? કોઇ દિવસ ક્યારેય કોઇને પ્રેમ કરવાનો વિચાર નથી આવ્યો અરે કોઇ
બીજાની ક્યાં
વાત કરો છો મારા માતા-પિતા ભાઇ-બહેન મિત્રવર્તુળ કોઇને પણ પ્રેમ કરવાનો વિચાર ક્યારેય નથી આવ્યો.
રામાનુજે ત્રીજી વાર
પુછ્યુ કે ક્યારેય કોઇ સપનું આવ્યુ હોઇ કોઇને પ્રેમ
કરવાનુ એવું બન્યુ છે
? પેલા
એ કહ્યુ તમે પણ હદ કરો છો હો....મને માત્ર એક જ
વિચાર આવે છે ભગવાનને
પ્રેમ કરવાનો તો બીજાને પ્રેમ કરવાનું સપનું મને
કેવી રીતે આવી શકે ? આ નશ્વર પ્રેમને મેં મારાથી ખુબ દુર રાખ્યો છે . હવે
મને કહો કે પ્રભુનો પ્રેમ
પામવાની પુરેપુરી પાત્રતા છે ને મારી ? પરમશક્તિના એ પ્રેમનો અધિકારી છુ ને હું ?
રામાનુજ એકદમ ઉદાસ થઇ
ગયા. પેલાએ કહ્યુ કેમ
તમે બોલતા બંધ થઇ ગયા ? રામાનુજ કહે અરે દોસ્ત ! તે
બોલવા જેવું કંઇ રહેવા
જ નથી દીધુ ! પરમાત્માની બનાવેલી આ સૃષ્ટી અને
માણસોને જો તું પ્રેમ
ના કરી શકતો હોઇ તો પછી પરમાત્માને કેમ પ્રેમ કરી
શક્શે ભાઇ ? જો તે કોઇને પ્રેમ કર્યો હોત તો તારા એ નશ્વર પ્રેમને પણ
પરમાત્માના પ્રેમમાં
પરિવર્તિત કરી શકાત પરંતુ તારે તો પ્રેમ સાથે દુર
દુરનો ય નાતો નથી તો
પ્રભુના પ્રેમ તરફ પ્રયાણ કેમ કરીશ ? અરે ભાઇ તારી પાસે પ્રેમનું બીજ જ નથી તો પરમાત્માના પ્રેમરુપી વૃક્ષને કેવી
રીતે મેળવી શકીશ ?
મિત્રો , પ્રભુના પ્રેમને પામવા માટે એમણે રચેલી આ
સૃષ્ટિને પ્રેમ કરતા
શિખીએ અને કોઇ સાચા ગુરુના માર્ગદર્શનથી જગત પ્રત્યેના
આ પ્રેમનું રૂપાંતરણ
જગદિશ પ્રત્યેના પેમમાં કરીએ..............
No comments:
Post a Comment