Thursday 24 December 2015
આપણા હાથ નીચે કામ કરતા લોકો કે આપણા પરિવારના સભ્યોને વશમાં રાખવાનેબદલે આપણી જાતને જ વશમાં રાખતા શીખી જઇએ તો !!!!!!!!!!!!
કુરુ પ્રદેશની રાણી રાક્ષસી પ્રકૃતિની હતી. બીજાને વગરવાંકે પણ દુ:ખ
પહોંચાડીને એને
આનંદ મળતો. એકવાર ભગવાન બુધ્ધ આ પ્રદેશમાંથી પસાર થવાના છે એવા સમાચાર એને મળ્યા તો એણે બુધ્ધનું અપમાન કરવા માટે નોકર ચાકરને તૈયાર
કર્યા. જ્યારે
બુધ્ધ આ પ્રદેશમાં પ્રવેશ્યા એટલે લોકોએ બુધ્ધ પર “ચોર” , “મૂર્ખ” , “ગધેડો” , “ઢોંગી” વગેરે જેવા અપશબ્દોની ઝડી વરસાવી.બુધ્ધ તો શાંત ચિતે આગળ ચાલ્યા જતા હતા પરંતુ એમના પ્રિય શિષ્ય આનંદથી આ સહન ન થયુ.
એમણે બુધ્ધનેપ્રાર્થના
કરતા કહ્યુ , “ભગવંત
આપણે આ નગરમાંથી ચાલ્યા જવું જોઇએ”. બુધ્ધે સામે પુછ્યુ ,” ક્યાં જવું છે બોલ ?” આનંદે કહ્યુ,” પ્રભુ એવા નગરમાં જવું છે જ્યાં કોઇ અપશબ્દોથી આપને અપમાનિત ન કરે.” બુધ્ધે કહ્યુ , “બીજા નગરમાં પણ લોકો અપમાન કરશે તો?” આનંદે કહ્યુ , “ તો પછી કોઇ બીજા નગરમાં ચાલ્યા જશુ.”બુધ્ધે આનંદના ખભા પર હાથ રાખીનેકહ્યુ ,” નહી, આનંદ અન્ય કોઇ નગરમાં જવું નથી અહિંયા જ રહેવુંછે. જ્યાં આપણું અપમાન
થાય એ સ્થાનને
ત્યાં સુધી ન છોડવું જોઇએ કે જ્યાં સુધી આપણને એ જ સ્થાનમાંથી આદર ન મળે આપણે આપણા જીવન અને કાર્ય દ્વારા અપમાનને આદરમાં બદલી શકીએ.
લોકો વશમાં
કરેલા ઘોડા , હાથીઓ
વગેરેને ઉત્તમ માને છે પરંતું આનંદ આવા પશુઓને વશમાં રાખનાર કે હજારો લાખો લોકોને વશમાં કરનારા કરતા પણ સૌથી
ઉત્તમ એ છે જે
સ્વયંને વશમાં રાખે છે.”આપણી આસપાસના લોકો , આપણા હાથ નીચે કામ કરતા લોકો કે આપણા પરિવારના સભ્યોને વશમાં રાખવાનેબદલે આપણી જાતને જ
વશમાં રાખતા શીખી જઇએ તો !!!!!!!!!!!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment