Saturday 26 December 2015

વાસ્તવમાં આપણા આચરણના મુળ આપણા વિચારમાં જ હોય છે.

સ્વામી રામતિર્થ એકવાર જાપાન ગયા. ત્યાં જાપાનના સમ્રાટનો બાગ જોવા માટે ગયા ત્યારે એમને આશ્વર્ય થયુ કે 100 વર્ષ જુના વૃક્ષોની ઉંચાઇ માંડ થોડા ફુટની જ હતી. રામતિર્થ વિચારવા લાગ્યા કે આવું કેમ બને 100 વર્ષ જુનુ પુરાણું વૃક્ષ તો કેવુ મહાકાય હોય! આ તો કદમાં સાવ નાના છોડ જેવા જ લાગે છે.

સ્વામીજીએ કુતુહલવશ આ વાત માળીને પુછી કે આ વૃક્ષો આટલા જુના હોવા છતા એની ઉંચાઇ કેમ સાવ ઓછી છે ? માળીએ જ્યારે આ વાત સાંભળી ત્યારે એ હસવા લાગ્યો અને એણે પ્રતિઉતરમાં કહ્યુ કે મને એવુ લાગે છે કે આપને વૃક્ષોની બાબતમાં કોઇ વિશેષ જ્ઞાન નથી.

આગળ બોલતા માળીએ સમજાવ્યુ કે આપ માત્ર વૃક્ષને જુવો છો જ્યારે અમે તો એ વૃક્ષના મુળને જોઇએ છીએ. અમે મુળને વધવા જ નથી દેતા. સતત મુળને નીચીથી કાપ્યા કરીએ છીએ. અને મુળ કપાવાને કારણે વૃક્ષો ઉપર વધી શકતા નથી.
મુળ જેટલા ઉંડા જાય વૃક્ષ એટલુ મોટું થાય આમ વાસ્તવમાં વૃક્ષોનો પ્રાણ ઉપર નહી જમીનની નીચે રહેલા મુળમાં હોય છે.

આપણા બધાની પણ આ જ હાલત છે આપણને લોકોનું બાહ્ય વ્યક્તિત્વ અને આચરણ દેખાય છે પરંતું તેના વિચારો દેખાતા નથી. વાસ્તવમાં એના આચરણના મુળ એના વિચારમાં જ હોય છે. આપણે આપણા સદવિચારો પર એવો કુઠારાઘાત કર્યો છે કે જીવનવૃક્ષ સાવ સંકોચાઇને નાના છોડ જેવું બની ગયુ છે.

No comments: